॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૧: ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

પ્રસંગ

પ્રસંગ ૨

સં. ૧૯૧૧માં ગુણાતીતાનંદ સ્વામી ચાર માસ સુધી વરતાલ રોકાયેલા અને બ્રહ્મપડછંદા ગજાવેલા. આ પ્રસંગે એક દિવસ શણગાર આરતી પછી સભામાં ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસજી પાસે વચનામૃત ગઢડા પ્રથમ ૭૧ વંચાવેલું. તેના આધારે ગુણાતીતાનંદ સ્વામીએ જ સભામાં પ્રશ્ન પૂછેલો, “આ વચનામૃતમાં મહારાજ સાથે આવેલા અક્ષરધામ તે કોને સમજવા?”

ગુણાતીતાનંદ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન બે દિવસ સુધી કોઈ દ્વારા થયું નહીં. ત્રીજે દિવસે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, “સ્વામી! આપે જે પ્રશ્ન ‘અક્ષર કોણ?’ બે દિવસ પહેલાં પૂછ્યો હતો તેનો ઉત્તર તો તમથી જ થશે. માટે તમે જ કૃપા કરીને કહો.”

ત્યારે મંદ મંદ હસતાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “જેની વાંસે ઝાઝા મનુષ્યો ખેંચાતા હોય તેને અક્ષર જાણવા. વળી, જેની વાતોથી અજ્ઞાન દૂર થઈ જીવમાં બ્રહ્મભાવ પ્રગટ થતો હોય તેને અક્ષર જાણવા. વળી, જેની વાતોથી શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે તેવો તત્ત્વે કરીને નિશ્ચય જીવમાં દૃઢ થતો હોય તેને અક્ષર જાણવા.”

ગુણાતીતાનંદ સ્વામીનો આ ઉત્તર સાંભળી કથા બાદ સ્વામીના હેતવાળા હરિભક્તોએ તેઓને જ પૂછ્યું, “સ્વામી! આજ બપોરની કથામાં આપે ચોખ્ખું કેમ ન કહ્યું?”

ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલેલા, “તમે જેમ સમજો છો તેમ બરોબર છે. બાકી સભામાં તો ઉત્તર જેમ થાતો હોય તેમ થાય.”

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૩૮૧]

Prasang 2

In Samvat 1911, Gunātitānand Swāmi stayed in Vartāl for four months. His discourses resonated the knowledge of Akshar-Purushottam. One day, during the sabhā after shangār ārti, he had Yogeshwardās Swāmi read Gadhadā I-71. Gunātitānand Swāmi himself asked a question to the assembly, “Who is the Aksharbrahman that came with Mahārāj?”

Those present discussed for two days, yet they did not reach a consensus of Aksharbrahman’s identity. On the third day, Acharya Raghuvirji asked Swāmi to answer the question he posed as no one else could answer it.

Gunātitānand Swāmi smiled and said, “Whoever attracts many people should be known as Akshar. Whoever can dispel ignorance and make Brahma manifest in their jiva should be known as Akshar. Moreover, by whose kathā one gains the conviction that Shriji Mahārāj is sarvopari should be known as Akshar.”

After hearing Gunātitānand Swāmi’s explanation, those devotees who had rapport with him asked, “Why did you not explain clearly who Akshar is?” (Explain that you are Akshar.)

Gunātitānand Swāmi replied, “What you understand is correct. But in a public sabhā, the answer is given as according to everyone’s understanding.”

[Aksharbrahman Shri Gunātitānand Swāmi: 1/381]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase